Ambaji Temple: અંબાજી મંદિરમાં હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન- આરતીના સમયમાં ફેરફાર

by Gujarati biz news
Ambaji Temple

પાલનપુર- Ambaji Temple ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણ પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અંગેની મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે.(Changes in Darshan and Aarti timings at Ambaji Temple due to Holi and Lunar Eclipse)

હોળીના દિવસના દર્શન

Ambaji Temple આગામી તા. 02-03-2026, સોમવાર (ફાગણ સુદ 14) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7.30 થી 8.00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8.00 થી 11.30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12.00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 18.30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી 19.30 થી 20.00 કલાકે થશે અને રાત્રે 21.00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.

ચંદ્રગ્રહણના દિવસે મુખ્ય દર્શન બંધ રહેવાનો સમય

તારીખ 03-03-2026, મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી (Ambaji Temple) માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6.00 થી 6.30 કલાકે આરતી અને 6.30 થી 7.30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7.30 થી 08.00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 21.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 09.45 થી બપોરે 14.00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 21.30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે.

એકમથી રાબેતામુજબ દર્શન

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તા. 04-03-2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી(Ambaji Temple) અંબાજી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે.

અંબાજી શક્તિપીઠ

અંબાજી મંદિર ભારતના 51 પવિત્ર શક્તિપીઠોમાંનું એક છે અને તે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં, રાજસ્થાન સરહદ નજીક આવેલું છે. તે દેવી આરાસુરી અંબાને સમર્પિત છે, જે મા દુર્ગાના એક શક્તિશાળી સ્વરૂપ છે, જે આ પ્રદેશના પ્રમુખ દેવી તરીકે પૂજાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી સતીનું હૃદય અહીં પડ્યું હોવાનું માનવામાં આવે છે, જે તેને ખૂબ જ આદરણીય શક્તિપીઠ બનાવે છે. આ મંદિર અરવલ્લી પર્વતોમાં આવેલું છે, જે આધ્યાત્મિક રીતે શાંત અને મનોહર વાતાવરણ પ્રદાન કરે છે.

શ્રી વિષા યંત્રની પૂજા

અંબાજી(Ambaji Temple) ઘણા મંદિરોથી વિપરીત, ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી. તેના બદલે, એક પવિત્ર શ્રી વિષા યંત્રની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં મંદિરનો ઉલ્લેખ છે, જે તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ભાર મૂકે છે. દર વર્ષે, લાખો ભક્તો ગુજરાતના સૌથી મોટા મેળાઓમાંના એક ભાદરવી પૂનમ દરમિયાન મુલાકાત લે છે. અંબાજીનું મંદિર નગર એક મુખ્ય તીર્થસ્થાન છે, જે ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર ભારતમાંથી ભક્તોને આકર્ષે છે.

ગબ્બર પર દેવીનું મુળ સ્થાન

અંબાજીની નજીકમાં આવેલ ગબ્બર ટેકરી દેવીનું મૂળ સ્થાન માનવામાં આવે છે અને તેમાં ટોચ પર જવા માટે 999 પગથિયાં છે. અંબાજી શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે, જે તેને ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે.

આ પણ વાંચો….

Gujarat Assembly 2026: ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર, આ વિધેયકમાં શું સુધારા કરાયા?

You will also like

Leave a Comment