મુંબઈ- Excise duty on Tobacco સરકારે કાચી તમાકુ અને તેની સાથે સંકળાયેલી વસ્તુઓ પરની એક્સાઇઝ ડ્યુટી હટાવી દીધી છે. અગાઉ સરકાર દ્વારા બ્રાન્ડેડ ન હોય તેવી અને છુટક વેચાણ માટે પેક ન કરવામાં આવેલી હોય તેવી કાચી તમાકુની ચીજવસ્તુઓ પર 18 ટકા એક્સાઈઝ ડ્યુટી વસુલવામાં આવતી હતી. જોકે સરકારે આ અંગે 1 ફેબ્રુઆરી 2026ના રોજ નોટિફિકેશન બહાર પાડીને તેને પરત લેવા અંગેની માહિતી આપી છે. તો ચાલો જાણીએ શું સરકારના આ નિર્ણયની અસર તમાકુ સાથે જોડાયેલી કંપનીઓના શેર પર પણ જોવા મળશે ખરી?(18% Excise Duty on Tobacco Products Removed)
રાહત માત્ર તમાકુની આ પ્રોડક્ટ્સને જ મળશે…
એક રિપોર્ટ મુજબ આવી વસ્તુઓ પરની(Excise duty on Tobacco) એક્સાઇઝ ડ્યુટીને બે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. હવેથી ફક્ત બિન-ઉત્પાદિત તમાકુ, જે બ્રાન્ડેડ નથી અને છૂટક વેચાણ માટે પેક કરવામાં આવતી નથી, તેના પર શૂન્ય એક્સાઇઝ ડ્યુટી લાગશે. આનાથી તમાકુની ખેતી કરતા ખેડૂતો અને ઉત્પાદકોને મોટી રાહત મળશે. વધુમાં, અન્ય તમામ પ્રકારના બિન-ઉત્પાદિત તમાકુ અથવા તમાકુના કચરા, ખાસ કરીને બ્રાન્ડેડ અથવા છૂટક વેચાણ માટે પેક કરાયેલ તમાકુ પર 18 ટકા એક્સાઇઝ ડ્યુટી લાગશે.
તમાકુની કંપનીઓના શેર શું અસર થશે?
સરકારના આ પગલાથી તમાકુના સ્ટોક પર કોઈ અસર થવાની શક્યતા અંગે જાણકારોનું કહેવું હતું કે તેની કોઈ શક્યતા લાગી રહી નથી. નવા ફેરફારથી આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ જેવી કંપનીઓને કોઈ અસર થશે નહીં, કારણ કે આ ફેરફાર બ્રાન્ડેડ ન હોય તેવા અને પેક ન કરાયેલા તમાકુ અને તમાકુના કચરા પર લાગુ પડે છે.
કંપનીઓના શેરનું પરફોર્મન્સ
બીજી તરફ મોટી કંપનીઓ રિટેલ વેચાણ માટે બ્રાન્ડેડ, પેકેજ્ડ તમાકુનો વેપાર કરે છે. કંપનીઓને આ છૂટથી કોઈ પણ પ્રકારની રાહત થશે નહિ. તેના પગલે તેમના સંચાલન, પડતર કે નફામાં કોઈ જ અસર જોવા મળશે નહિ. પરિણામે આ કંપનીઓના શેરના પરફોર્મન્સ પર પણ કોઈ અસર દેખાશે નહી.
નાના વેપારીઓ માટે મોટી રાહત
Excise duty on Tobacco 18 ટકા એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવાના સરકારના નિર્ણયથી નાના સપ્લાયર્સને રાહત મળશે. જેઓ બ્રાન્ડ નામ વિના જથ્થાબંધ બિન-પ્રોસેસ્ડ તમાકુનો વેપાર કરે છે. વધુમાં, તમાકુ અથવા તમાકુના કચરાની આયાત જે બ્રાન્ડ વિના અને છૂટક પેકેજોમાં પેક વગરની હોય છે તેને પણ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જે કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીના દરે વસૂલવામાં આવે છે. આવા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી એટલી હદ સુધી ઘટાડવામાં આવશે.
શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોના મતે 18 ટકા એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવાના સરકારના નિર્ણયથી નાના સપ્લાયર્સને રાહત મળશે, જેઓ બ્રાન્ડના નામ વગર જ જથ્થાબંધ તમાકુનો વેપાર કરે છે.(Excise duty on Tobacco) આ સિવાય બ્રાન્ડેડ ન હોય અને છુટક વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ અને તમાકુના કચરાની આયાત પર વસુલાતી કસ્ટમ ડ્યુટી પર રાહત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આ ડ્યુટી સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી જેટલી જ લગાવવામાં આવે છે. જોકે હવે તેમાં પણ ઘટાડો કરાશે.